દિલ્હી : ઍર ઇન્ડિયાના વિમાનના ઍન્જિનમાં આગ બાદ સુરક્ષિત લૅન્ડિંગ - ન્યૂઝ અપડેટ

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mike Campbell/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ઍર ઇન્ડિયાએ આ ઘટના બાદ તરત તપાસ શરૂ કરી હોવાની વાત કહી છે (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બૅંગલુરુથી દિલ્હી જતાં ઍર ઇન્ડિયાના વિમાન AI2802માં ગુરુવારે સાંજે ઍન્જિનમાં આગ લાગ્યા બાદ તેનું દિલ્હી ઍરપૉર્ટ પર સુરક્ષિત લૅન્ડિંગ કરાયું હતું. આ વિમાનમાં 160 મુસાફર હતા.

ઍર ઇન્ડિયાએ આ ઘટના પર કહ્યું કે "દિલ્હીમાં વિમાનની અંતિમ લૅન્ડિંગ પ્રક્રિયા દરમિયાન કૉકપિટ ક્રૂના એક ઍન્જિનમાં લાગ લાગ્યાનો સંકેત મળ્યો હતો, જે બાદમાં સાચો પડ્યો."

"ક્રૂએ બધી માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને સુરક્ષિત દિલ્હી ઍરપૉર્ટ પર ઉતાર્યું. બધા મુસાફરો અને ક્રૂના સભ્યો સુરક્ષિત છે અને બધાને સામાન્ય પ્રક્રિયા અંતર્ગત વિમાનમાંથી બહાર કાઢી લેવાયા હતા."

ઍર ઇન્ડિયાએ આ ઘટના બાદ તરત તપાસ શરૂ કરી હોવાની વાત કહી છે. આ તપાસ સંબંધિત નિયામક અધિકારીઓ સાથે મળીને કરાશે.

અમેરિકાના વિદેશ મંત્રીએ યુદ્ધ પૂરું કરવા અંગે શું કહ્યું?

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Julia Demaree Nikhinson / POOL / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના વિદેશ મંત્રીએ ફરી એક વાર ઈરાન સામે યુદ્ધમાં અમેરિકાનું સમર્થન નહીં કરવા પર નેટોની ટીકા કરી છે

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ગુરુવારે આશા વ્યક્ત કરી કે પાકિસ્તાની સેના પ્રમુખની ઈરાન યાત્રા યુદ્ધને પૂરું કરવાની દિશામાં રણનીતિને આગળ વધારશે, અને કહ્યું કે આ દિશામાં પ્રગતિ થઈ છે.

રુબિયોએ પત્રકારોને કહ્યું કે તેમને એ વાતની માહિતી હતી કે પાકિસ્તાની અધિકારીઓ તહેરાનની મુલાકાત લેશે.

તેમને આશા છે કે આનાથી યુદ્ધ પૂરું કરવા ચાલતી વાતચીતમાં વધુ પ્રગતિ કરવામાં મદદ મળશે.

અમેરિકાના વિદેશ મંત્રીએ ફરી એક વાર ઈરાન સામે યુદ્ધમાં અમેરિકાનું સમર્થન નહીં કરવા પર નેટોની ટીકા કરી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે પત્રકારોને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ "તેમને લડાકુ વિમાન મોકલવાનું નથી કહેતા, પરંતુ તેઓ કંઈ પણ કરવાનો ઇનકાર કરી રહ્યા છે."

રુબિયોએ કહ્યું કે "અમે તેનાથી બહુ નારાજ છીએ."

તો ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા સાથે વર્તમાન વાર્તા માત્ર યુદ્ધ સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને યુરેનિયમ ભંડારો અંગે કોઈ ચર્ચા નથી થઈ રહી.

બીબીસી ફારસી સેવા અનુસાર, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ મીડિયાને જણાવ્યું કે "વાર્તાનો મુખ્ય ઉદ્દેશ લેબનોન સહિત બધા મોરચે યુદ્ધ સમાપ્ત કરવાનો છે."

તેમણે કહ્યું કે, "પરમાણુ મુદ્દાઓ, જેમાં સંવર્ધિત સામગ્રીનો મુદ્દો કે સંવર્ધન સામેલ છે, આ અંગે મીડિયાએ કરેલા દાવા માત્ર અટકળો છે અને તેમાં વિશ્વસનીયતાની કમી છે."

ગુરુવારે ઈરાનના યુરેનિયમ ભંડારો સંબંધિત અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન બાદ મીડિયામાં અનેક ચર્ચા થઈ રહી હતી, ઇસ્માઇલ બકાઈ આ રિપોર્ટ્સ તરક ઇશારો કરતા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇસ હાઉસમાં ઈરાનના યુરેનિયમ ભંડાર અંગે કહ્યું હતું કે અમેરિકા તેને હાંસલ કરી લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન