You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુના સીએમ વિજયે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત - ન્યૂઝ અપડેટ
તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયે સહકારી બૅન્કોમાંથી સીમાંત ખેડૂતોએ 50,000 રૂપિયા સુધી પાક માટે લીધેલી લોન માફ કરી છે.
સીએમ જોસેફ વિજયે સોમવારે જાહેરાત પણ કરી હતી કે સહકારી બૅન્કોમાંથી પાક માટે લીધેલી લોન લેનારા મોટા ખેડૂતોને પણ 5,000 રૂપિયાની રાહત આપવામાં આવશે.
તામિલનાડુના સીએમઓએ તેમના સત્તાવાર ઍક્સ હેન્ડલ પર આ માહિતી શૅર કરી છે.
સચિવાલયમાં મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી આર વિનોથ, સહકારિતામંત્રી વી ગાંધીરાજ, નાણામંત્રી એન મેરી વિલ્સન અને વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
સરકારના મતે, વિજયના આ નિર્ણયથી લગભગ 14,22,000 ખેડૂતોને ફાયદો થશે અને તેના પરિણામે સરકાર પર 2044.46 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે.
અમેરિકાની સેનાએ કહ્યું - દક્ષિણ ઈરાનમાં નવા હુમલા શરૂ
અમેરિકાની સેનાએ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ ઈરાનમાં નવા હુમલાઓ કર્યા છે, જેમાં ઈરાની મિસાઇલ બેઝ અને સમુદ્રમાં બારૂદી સુરંગ પાથરવાનો પ્રયાસ કરી રહેલાં જહાજોને નિશાન બનાવાયાં છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ સ્વ-બચાવમાં કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ ઈરાની દળોના જોખમથી સૈનિકોને બચાવવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હૉકિન્સે જણાવ્યું હતું કે યુએસ સૈન્ય હાલ ચાલી રહેલા યુદ્ધવિરામ દરમિયાન સંયમ રાખતા તેના સૈનિકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું હતું કે અમેરિકા સાથેની વાતચીતમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ સંઘર્ષને સમાપ્ત કરવા માટે તાત્કાલિક કોઈ કરાર થવાની શક્યતા નથી.
હૉકિન્સે જણાવ્યું હતું કે આ હુમલાઓ દક્ષિણ બંદર શહેર બંદર અબ્બાસ નજીક કરવામાં આવ્યા હતા, જે ઈરાની નૌકાદળના અડ્ડાનું કેન્દ્ર છે અને હોર્મુઝની સામુદ્રધુની પર આવેલું છે.
અગાઉ, ઈરાની સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે બંદર અબ્બાસમાં વિસ્ફોટોના અવાજ સાંભળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
બીબીસી ન્યૂઝના ટોબી માનના અહેવાલના આધારે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'અમે ઈરાન સાથે મળીને આ કામ કરીશું'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનમાં આવેલા એનરિચ્ડ યુરેનિયમ ભંડારનો નાશ કરવા માગે છે. ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના નિવેદનથી અલગ છે જેમાં તેમણે ઈરાનના એનરિચ્ડ યુરેનિયમને અમેરિકાને સોંપી દેવાની વાત કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું , "એનરિચ્ડ યુરેનિયમ (ન્યુક્લિયર ડસ્ટ) તાત્કાલિક વિનાશ માટે અમેરિકાને સોંપવામાં આવશે. ઈરાન સાથે મળીને એવી જગ્યાએ તેનો નાશ કરવો પણ વધુ યોગ્ય રહેશે જ્યાં એટોમિક ઍનર્જી કમિશન કે સમકક્ષ સંસ્થા આ ઘટનાની સાક્ષી બની શકે."
બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, એક્સિયૉસના રિપોર્ટર બરાક રાવિદ કહે છે કે ટ્રમ્પના નિવેદનથી ખ્યાલ આવે છે કે અમેરિકા તેની અગાઉની માગથી 'પાછું ખસી રહ્યું છે' અને હવે ઈરાન દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોની નજીક જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ ભંડાર કાઢવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત કરવાનું વિચારી શકાય નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન