You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યા, કૉમનવેલ્થ ગેમ્સમાં રમશે કે નહીં? – ન્યૂઝ અપડેટ
ભારતના ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપડા કતારમાં થયેલી દોહા ડાયમંડ લીગ 2026માં ચોથા નંબરે રહ્યા હતા. આ સિઝનમાં તેમની આ પહેલી પ્રતિયોગિતા છે.
જોકે, નીરજ ચોપડાએ આ વર્ષે થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઈ કરી લીધું છે.
નીરજની શરૂઆત બહુ સારી નહોતી રહી. તેનો પહેલો થ્રો ફાઉલ થઈ ગયો હતો. પરંતુ તેઓ તેમના બીજા પ્રયાસમાં 82.77 મીટર થ્રો કરવામાં સફળ રહ્યા અને કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઈ થઈ ગયા.
આ સ્પર્ધામાં તમામ છ રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રીલંકાના રુમેશ પથિરાગે સૌથી ઉપરના ક્રમે રહ્યા. નીરજ ચોપડાએ પીઠની ઈજામાંથી વાપસી કરી છે. તે પહેલાં તેઓ સપ્ટેમ્બર 2025માં વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સામેલ થયા હતા.
ભારતનું વિદેશ મંત્રાલય આ બાબતને તેની મોટી જીત કેમ ગણાવે છે?
ભારતને પહેલી વખત મની લૉન્ડ્રિંગ અને આતંકવાદને મળનારી આર્થિક સહાયતા પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષનું પદ મળ્યું છે.
ભારત સરકારના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને આ પદ માટે પસંદ કર્યા છે. વિદેશ મંત્રાલય આ નિયુક્તિને ભારત માટે મોટી જીત ગણાવે છે.
વિવેક અગ્રવાલ હાલ સંસ્કૃતિ મંત્રાલયના સચિવ છે. તેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી એફએટીએફના ઉપાધ્યક્ષનું પદ સંભાળશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, "એફએટેફમાં ભારતની મોટી જીત. ભારત સરકારના સચિવ વિવેક અગ્રવાલને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષ પસંદ કરાયા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આતંકવાદની સામે ઝીરો-ટૉલરન્સ નીતિ પર આગળ વધતા ભારતનું આ નવા નેતૃત્વની ભૂમિકા વૈશ્વિક આતંકવાદી ફંડિંગ નેટવર્કથી લડવા અને અવૈધ નાણાકીય તંત્રને સમાપ્ત કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે."
"ભારતના એફએટીએફ પ્રતિનિધિમંડળના પૂર્વ પ્રમુખ અને એફઆઈયુ-આઈએનડીના પૂર્વ નિદેશક તરીકે તેમનો અનુભવ એફએટીએફના નાણાકીય તંત્રની વૈશ્વક અખંડતાને સુનિશ્ચિત કરવા માટેના મિશનમાં મદદ કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન