વિજય માલ્યાએ પોતાને વારંવાર ભાગેડુ કહેવાતા આ દાવો કર્યો, જણાવ્યું કે તેઓ ભારત કેમ આવી શકતા નથી – ન્યૂઝ અપડેટ

વિજય માલ્યા, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ભાગેડુ ફંડ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

પૂર્વ રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પોતાને વારંવાર ભાગેડુ કહેવામાં આવતા એક નિવેદન આપ્યું છે.

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દાવો કર્યો, "જે લોકો કહે છે કે હું ભારત આવવાથી ઇન્કાર કરનાર ભાગેડુ છું, તેઓ કૃપા કરીને એ જાણી લે કે હું વર્ષ 1992થી બ્રિટનનો કાયમી નિવાસી છું. હાલમાં મને કાયદાકીય રીતે આ દેશની બહાર જવાની મંજૂરી નથી. આ બધું ભારત સરકાર દ્વારા કરવામાં આવેલાં દેખાડાંરૂપી પગલાંથી શરૂ થયું, જે મારા કેસમાં અત્યંત અન્યાયપૂર્ણ છે."

તેમણે બીજી એક પોસ્ટમાં કહ્યું, "જે બધા લોકો મારી વાત પર વિશ્વાસ નથી કરતા, તેઓ કૃપા કરીને પોતે તેની ચકાસણી કરે અને જુએ કે ઈડીએ મારા જપ્ત કરેલા ફંડમાંથી 350 કરોડ રૂપિયાથી વધુ રકમ કિંગફિશરના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે મુક્ત કરી હતી."

તેમણે કહ્યું, "હું તેમને પૈસા આપી શક્યો નહોતો કારણ કે ઈડીએ મારી સંપત્તિઓ અને ફંડ્સ પોતાના કબજામાં લઈ લીધાં હતાં."

તેમણે લખ્યું, "કોઈ પત્રકારની સ્ક્રિપ્ટની શરૂઆતમાં જ મને ઠગ કેમ કહેવામાં આવે છે? તેની જગ્યાએ એ પ્રશ્નથી શરૂઆત કેમ કરવામાં આવતી નથી કે મને મારા પૈસા ક્યારે પાછા મળશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન