નેતન્યાહૂ અને ટ્રમ્પની થશે મુલાકાત, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે બીજું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Joe Raedle/Getty Images
બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જલદી મુલાકાત કરવાના છે.
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન મળવા પર સહમતિ વ્યક્ત થઈ છે.
આ ફોન કૉલ દ્વારા બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પને અમેરિકાની સ્થાપનાનાં 250 વર્ષનાં અભિનંદન પણ પાઠવ્યાં.
નિવેદન અનુસાર, નેતન્યાહૂએ કહ્યું, "અમેરિકા દુનિયામાં આઝાદીનું ગૅરેન્ટર છે અને ઇઝરાયલ બંને દેશો વચ્ચે ઘનિષ્છ સંબંધોને ઘણું મહત્ત્વ આપે છે."
ભારતીય પ્રતિનિધિમંડળે તહેરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી

ઇમેજ સ્રોત, X/@PmargheritaBJP
ઈરાનની રાજધાની તહેરાનમાં ભારત સરકારના પ્રતિનિધિમંડળે ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારત સરકારના આધિકારિક પ્રતિનિધિમંડળમાં બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સામેલ છે.
બિહારના રાજ્યપાલે સોશિયલ મીડિયા હૅન્ડલ પર સેરેમનીની તસવીરો શૅર કરી હતી અને એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સાથે આજે (શુક્રવારે) તહેરાનમાં આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને હાલના સંઘર્ષમાં જીવ ગુમાવારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. "
વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ પણ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર તસવીરો શૅર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "બિહારના રાજ્યપાલ અને મેં તહેરાનમાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમે ભારત સરકાર અને ભારતની જનતા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી."
ઈરાનમાં અલી ખામેનેઈનાં અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેના માટે વિદેશી મહેમાનો તહેરાન પહોંચ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















