અમદાવાદ પ્લેન ક્રૅશમાં પત્ની અને દીકરી ગુમાવ્યાં, હવે કેમ છોડવું પડશે યુકે?
અમદાવાદ પ્લેન ક્રૅશમાં પત્ની અને દીકરી ગુમાવ્યાં, હવે કેમ છોડવું પડશે યુકે?
મૂળ વડોદરાના રહેવાસી મોહમ્મદમિયાં શેઠવાલા વર્ષ 2022માં તેમની પત્નીના વિઝા પર ડિપેન્ડન્ટ તરીકે યુકેમાં જઈને વસ્યા હતા.
જો કે જૂન 2025ની અમદાવાદ પ્લેન ક્રૅશની દુર્ઘટનામાં મોહમ્મદએ તેમનાં પત્ની અને પુત્રીને ગુમાવી દીધાં.
હવે યુકેના સત્તાવાળાઓએ મોહમ્મદને નોટિસ મોકલી છે કે તેમને યુકે છોડવું પડશે અને તેમની વિઝા અરજીને નકારવામાં આવી છે.
અમે યુકેમાં મોહમ્મદ સાથે વાત કરી તેમની પાસેથી આ વિશે જાણકારી મેળવી.
અહેવાલ- પાર્થ પંડ્યા, ઍડિટ – રિપુલ મકવાણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



