બારડોલી : બે બસ વચ્ચે એવો અકસ્માત સર્જાયો કે બસ સળગી
બારડોલી : બે બસ વચ્ચે એવો અકસ્માત સર્જાયો કે બસ સળગી
પ્રકાશિત
બારડોલીના માણેકપોર પાસે બે બસોનો ગંભીર અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અને તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ બારડોલી ટાઉન પોલીસનો કાફલો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.




