મહિલા ટી20 વિશ્વકપ: ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવું કેમ સરળ નથી?

ઇમેજ સ્રોત, Philip Brown/Getty Images
ગુરુવારે બાંગ્લાદેશ સામે ભારતે પાંચ વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતની આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલ મૅચમાં પહોંચવાની તક વધુ મજબૂત બની છે.
જોકે, આનાથી આગળ સેમિફાઇનલ સુધીનો રસ્તો એટલો સરળ નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારે ગ્રૂપ-એમાં છ પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. ઑસ્ટ્રેલિયા ચાર મૅચ જીતીને આઠ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.
સાથે જ, નેધરલૅન્ડ સામે મોટી જીત બાદ દક્ષિણ આફ્રિકાએ પોતાનો નેટ રન રેટ સુધાર્યો છે અને હવે તેઓ પણ છ પૉઇન્ટ સાથે ભારતની બરાબરી પર છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ગ્રૂપમાં ત્રીજા સ્થાને છે.
બંને ટીમો જીતી ગઈ હોવાથી, સેમિફાઇનલમાં પહોંચવાની રેસ ગ્રૂપ સ્ટેજની હવે છેલ્લી મૅચ સુધી લંબાઈ ગઈ છે. બંને ટીમો માટે છેલ્લી ગ્રૂપ સ્ટેજ મૅચ 28 જૂને રમાવવાની છે.
ગ્રૂપ સ્ટેજની છેલ્લી મૅચ જ નિર્ણય કરશે

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images
સેમિફાઇનલમાં પહોંચવાની રેસમાં હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર ચાલી રહી છે.
ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલાંથી જ આઠ પૉઇન્ટ મેળવી ચૂકી છે અને તેનો નેટ રન રેટ ચારથી ઉપર છે. આ અર્થમાં, ઑસ્ટ્રેલિયાનો સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત છે.
ભારતીય ટીમ રવિવારે લૉર્ડ્સ ખાતે પોતાની અંતિમ ગ્રૂપ મૅચ રમશે. આ મૅચમાં આ મૅચમાં ભારતનો સામનો ગ્રૂપ-એમાં ટોચના સ્થાને રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમ સામે થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે છે?

ઇમેજ સ્રોત, Matthew Lewis-ICC/ICC via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સેમિફાઇનલ મેચમાં માટે હવે ચાર સંભવિત પરિસ્થિતિઓ સામે આવે છે.
પ્રથમ પરિસ્થિતિમાં, જો ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની મૅચ જીતી જાય, તો ભારતના પૉઇન્ટની સંખ્યા આઠ થઈ જશે. આ સાથે જ, ભારતે એવી આશા પણ રાખવી પડશે કે બાંગ્લાદેશ લીગની છેલ્લી મૅચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દે.
જો આમ થશે, તો ભારતની પોઈન્ટ્સ સંખ્યા વધીને આઠ થઈ જશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ્સ સંખ્યા છ રહેશે. આનાથી ભારત સીધું સેમિફાઇનલમાં પહોંચી જશે.
પરંતુ, જો ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે હારી જાય છે, તો તેમનો રસ્તો વધારે પડકારજનક બની જશે.
આ સ્થિતિમાં, ભારતે એવી આશા રાખવી પડશે કે દક્ષિણ આફ્રિકા પણ બાંગ્લાદેશ સામે હારી જાય અને સેમિફાઇનલમાં કોણ પહોંચશે તેનો નિર્ણય નેટ રન રેટના આધારે થાય.
હાલમાં, ભારતીય ટીમનો નેટ રન રેટ +2.268 છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમનો નેટ રન રેટ +0.734 છે.
ઉપરાંત આ સ્થિતિમાં, ભારતે એવી પણ અપેક્ષા રાખવાની આવે કે પોતે ઑસ્ટ્રેલિયા સામે મોટા માર્જિનથી ન હારે, બીજી તરફ, બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવે, ત્યારે જ બંને દાવેદારો વચ્ચે નેટ રન રેટ ગૅપ વધતો રહેશે અને ભારત સેમિફાઇનલમાં પહોંચી જશે.
ત્રીજી સ્થિતિમાં, જો ભારત અને દક્ષિણ આફ્રિકા બંને પોતાની છેલ્લી લીગ મૅચો જીતી જાય છે, તો પણ સેમિફાઇનલમાં પહોંચનારી ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે જ થશે.
ભારતનો નેટ રન રેટ હાલમાં દક્ષિણ આફ્રિકા કરતા વધારે છે. આ અંતર જાળવી રાખવા માટે, ભારતે એવી આશા રાખવી પડે કે દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીત ન મેળવે.
ભારતને ઑસ્ટ્રેલિયા સામે મોટી જીત મેળવવાની જરૂર નથી, કારણ કે બંને ટીમોના નેટ રન રેટમાં મોટો તફાવત છે.
જો ભારત નાના માર્જિનથી પણ જીતશે તો પણ તેનો નેટ રન રેટ મજબૂત રહેશે અને ભારત સેમિફાઇનલમાં પહોંચી જશે.
ચોથી પરિસ્થિતિ ભારત માટે થોડી અઘરી અને નુકસાનકારક છે.
જો ભારત પોતાની છેલ્લી લીગ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે હારી જાય અને દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશને હરાવી દે, તો ભારત શ્રેણીમાંથી બહાર થઈ જશે અને દક્ષિણ આફ્રિકાનું સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત થઈ જશે.
ભારત માટે સેમિફાઇનલનો રસ્તો આટલો મુશ્કેલ કેમ છે?

ઇમેજ સ્રોત, JUSTIN TALLIS / AFP via Getty Images
ભારતનો સામનો પોતાની છેલ્લી લીગ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે થશે. છ વખતની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા આ વિશ્વકપમાં અત્યાર સુધી એક પણ મૅચ હાર્યું નથી.
ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા મજબૂત કરવા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ઑસ્ટ્રેલિયાએ ગ્રૂપ સ્ટેજમાં અત્યાર સુધી રમેલી ચારેય મૅચોમાં સંપૂર્ણ દબદબો જાળવી રાખ્યો છે અને બધી જ મૅચોમાં તેણે મોટા માર્જિનથી જીત મેળવી છે.
ઑસ્ટ્રેલિયાએ પહેલી મૅચમાં જ દક્ષિણ આફ્રિકાને 65 રનથી હરાવ્યું હતું. તેવી જ રીતે, બીજી મૅચમાં તેમણે બાંગ્લાદેશ સામે 9 વિકેટથી મોટી જીત મેળવી હતી.
ઑસ્ટ્રેલિયાએ ત્રીજી મૅચમાં નેધરલૅન્ડને 98 રનથી અને ચોથી મૅચમાં પાકિસ્તાનને 113 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.
આ ચાર મૅચોમાં, ઑસ્ટ્રેલિયન ટીમે બેટિંગ અને બૉલિંગ બંનેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન
ઑસ્ટ્રેલિયાની તુલનામાં, ભારતે તેની ચાર ગ્રૂપ સ્ટેજ મૅચોમાંથી ત્રણ જીતી છે.
ભારતીય ટીમનો એકમાત્ર પરાજય દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં થયો હતો, જ્યાં દક્ષિણ આફ્રિકાએ ભારતને છ વિકેટથી હરાવ્યું હતું.
ભારતે પાકિસ્તાન સામેની વિશ્વકપ શ્રેણીની શરૂઆત કરી હતી અને તેમને 64 રનથી હરાવ્યા હતા.
તેવી જ રીતે, તેઓએ બીજી મૅચમાં નેધરલૅન્ડ સામે 95 રનથી મોટી જીત નોંધાવી હતી. ત્રીજી મૅચમાં તેઓ દક્ષિણ આફ્રિકા સામે હારી ગયા હતા.
ભારતે તેની ચોથી મૅચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















