પાકિસ્તાનની એ જગ્યાઓ જ્યાં ભારતે 2025માં હુમલા કર્યા હતા, જુઓ હાલ ત્યાં કેવી સ્થિતિ છે

વીડિયો કૅપ્શન, India એ સૈનિક સંઘર્ષમાં પાકિસ્તાનની જે જગ્યાઓને નિશાન બનાવી ત્યાં એક વર્ષ પછી શું સ્થિતિ છે?
પાકિસ્તાનની એ જગ્યાઓ જ્યાં ભારતે 2025માં હુમલા કર્યા હતા, જુઓ હાલ ત્યાં કેવી સ્થિતિ છે

એક વર્ષ પહેલાં 2025માં પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો.

ભારતે પાકિસ્તાનસ્થિત જૂથ પર આ હુમલાનો આરોપ લગાવ્યો હતો, જેના આરોપને ઇસ્લામાબાદે નકારી કાઢ્યો હતો.

ચાર દિવસ પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષોએ કઈ જગ્યાને કેવી રીતે નિશાન બનાવાઈ તેના સાવ અલગ-અલગ અહેવાલ આપ્યા. એક વર્ષ પછી, બીબીસીની ટીમો પાકિસ્તાનમાં તે ત્રણ સ્થળે ગઈ કે ત્યાં શું બદલાયું છે અને શું નથી.

જોકે, એક વર્ષ પછી પણ, બીબીસીને મુદરિકે, બહાવલપુર અને મુઝાફરબાદમાં નિશાન બનાવાયેલી સાઇટ્સ પર પ્રવેશ અને રિપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

બીબીસીનાં ફરહત જાવેદ અને ઉમર દરાઝ નાંગિયાનાનો અહેવાલ.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન