પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?
ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2026ના રોજ દેશને સંબોધન કર્યું. આ તેમનું સતત 13મું સંબોધન છે.
પોતાના ભાષણમાં તેમણે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં સરદાર પટેલ, શ્યામાપ્રસાદ મુખરજીની સાથે પંડિત નહેરનું નામ પણ લીધું હતું.
ભાષણના અંતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ. ભીમરાવ આંબેડકર, પંડિત નહેરુ, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ભગવાન બિરસા મુંડા અને જ્યોતિબા ફુલેએ જે સપનું જોયું હતું, તે બધા પાસેથી પ્રેરણા લઈને આપણે આગળ વધીએ.
સંબોધન પહેલાં મોદીએ ત્રણેય સેનાઓ અને દિલ્હી પોલીસના જવાનોની બનેલી ગાર્ડ ઑફ ઑનરની સલામી લીધી હતી. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. ધ્વજારોહણ દરમિયાન સ્વદેશી 105 એમએમ લાઇટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી.
તે પહેલાં વડા પ્રધાન મોદીએ રાજઘાટ પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લાલ કિલ્લા પરથી આપેલા પોતાના ભાષણમાં વડા પ્રધાને છેલ્લાં 12 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી અને 2047 સુધી ભારતમાં વિકસિત દેશ બનવાના લક્ષ્ય માટે પોતાની સરકારનું વિઝન રજૂ કર્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



